VADODARA CITY
50 હજાર ઉપરાંતની લીડથી જીતનાર ઉમેદવારોની યાદીમાં મારુ નામ પહેલું હશે- મધુ શ્રીવાસ્તવ

વડોદરા જીલ્લામાં આજે ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલય માટે મળેલા અનુદાન બાદ કાર્યાલયની જગ્યા પર ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ ખાસ હાજર રહ્યા હતા. ત્યાર બાદ જાહેરસભાનું આયોજન વડોદરા APMC ખાતે કરવામાં આવ્યું હતું.
જાહેરસભામાં સી.આર પાટીલે તમામ કાર્યકરોને જાગૃત રહેવાની ટકોર કરી હતી.અને આંખમાં તેલ રેડીને પણ તનતોડ મહેનત કરીને ઉમેદવારોને 50 હજારથી વધુની લીડથી જીતાડી લાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.
જે કાર્યક્રમ બાદ મધુ શ્રીવાસ્તવને મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું કે પ્રદેસગ અધ્યક્ષે કરેલા આહવાનમાં આપનું યોગદાન કેવું હશે! જેના જવાબમાં મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે 50 હજારની લીડથી જીતનાર ઉમેદવારોની યાદીમાં મારુ નામ પહેલું હશે. પછી બીજા બધાના નામ આવશે. છેલ્લી છ ટર્મથી હું વાઘોડિયામાં જીતતો આવ્યો છે. દરેક નાતજાતના લોકોના કામો છેલ્લા 30 વર્ષથી કરતો આવ્યો છું અને છેવાળાના માનવી સુધી જોડાયેલો છું. જેથી 50 હજારની લીડ સાથે હું જરૂર જીત મેળવીશ.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે