VADODARA CITY
હજી ક્યાં સુધી વેઠશે વડોદરા?: ગાયે ભેટી મારતા રાહદારી ઇજાગ્રસ્ત,નગરસેવકનો ઉડાઉ જવાબ

વડોદરા શહેરમાં રખડતી ગાયોનો ત્રાસ વધી રહ્યો છે. પાલિકા દ્વારા રખડતા ઢોર પકડવા માટે કવાયત તો હાથ ધરવામાં આવે છે પરંતુ તે કારગર નિવડતું નથી.
શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા સોલંકી ફળિયામાં ગત રાત્રે રખડતી ગાયે એક રાહદારીને ભેટી મારતા હવામાં ઉછળીને નજીક પડેલી રીક્ષા ઉપર પટકાયો હતો. ગાયના હુમલા થી બચાવવા માટે સ્થાનિકો દોડી આવતા ગાયને ત્યાંથી ભગાડી હતી. ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે ખસેડતા પહેલા ઘટનાની જાણ કરવા માટે વોર્ડ 8 ના નગરસેવક રાજેશ પ્રજાપતિને કોલ કરતા અધ્ધરતાલ જવાબો મળ્યાં હતાં. જ્યારે ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ઓછો થતો જ નથી.પાલિકા દાવો કરે છે કે રખડતા ઢોર પકડવા માટે ત્રણ શિફ્ટમાં ઢોર પાર્ટી કામ કરે છે. પરંતુ શહેરના માર્ગો પર ઢોર પાર્ટીની કામગીરીની કોઈ અસર દેખાતી નથી. ઢોર પાર્ટી જે વિસ્તારમાં જવાની હોય તે વિસ્તારન ગૌપાલકોને અગાઉથી જ મેસેજ મળી જાય છે જેથી રસ્તા પર રખડતી ગયો તેઓ ભગાડી જાય છે. અને જેમ ઢોર પાર્ટી વિસ્તાર છોડી દે એટલે ગાયો ફરી વાર રસ્તા પર આવી જાય છે.
વારંવાર અનેક શહેરીજનો રખડતા ઢોરો ને કારણે ઇજા પામ્યા છે જ્યારે કેટલાક લોકોને મૃત્યુ પણ થયા છે ત્યારે પાલિકાના સત્તાધીશો માટે આ સમસ્યા એક રાજકીય મુદ્દા થી વધારે કોઈ મહત્વ ધરાવતું નથી.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે