VADODARA CITY
અહીં વરસાદી પાણી ભરાય તેવી વ્યવસ્થા એક મહિના પહેલા ખુદ પાલિકાએ જ કરી આપી
વડોદરા શહેરમાં સામાન્ય વરસાદમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યા છે. જેના કારણે શહેરીજનોને વેઠવાનો વારો આવ્યો છે. જે સ્થળે પહેલા પાણી ભરાતા ન હતા ત્યાં પણ પાલિકાની મહેરબાની થી એક મહિના પહેલા જ પાણી ભરાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેનું ઉત્તમ ઉદાહરણ સયાજીપુરા વિસ્તારમાં જોવા મળ્યું છે.
18 જૂન ના રોજ વડોદરામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જાહેરસભા માટે એક મહિના અગાઉથી જ પાલીકા દ્વારા તેઓના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીના સંભવિત રોડ શો માટે શહેરના બે મુખ્ય રાજમાર્ગોને શણગારવામાં આવ્યા હતા. અને સુશોભન પાછળ કરોડોનું આંધણ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન મોદીની જાહેરસભામાં આવનારા લોકો માટે સાયજીપૂરા TPના ખુલ્લા પ્લોટમાં પાર્કિગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જ્યાં ખુલ્લા મેદાનો જેમાં ખેતી થતી હતી તેને સમતળ કરી અને પાર્કિંગ માટે ની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જ્યારે બસોના અવરજવર માટે રસ્તાની વચ્ચેના ડિવાઈડર પણ કેટલીક જગ્યાએ તોડી નાખવામાં આવ્યા હતા. આ તમામ વ્યવસ્થાઓ સભા માટે જરૂરી હતી પણ તે બાદ તેને સુધારવામાં આવી ન હતી જેના કારણે વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા નું કૃત્રિમ નિર્માણ ખુદ પાલિકાએ કરી આપ્યું છે.
જે ખુલ્લા મેદાનોને સમતળ કર્યા હતા ત્યાં ગત વર્ષે પાણી ભરાઈ રહેતા હતા અને નિયત સ્પોટ પરથી તેનો નિકાલ થતો હતો.જે પાણી હવે મેદાનો માંથી રસ્તા પર આવી રહ્યા છે. જ્યારે બીજી તરફ નીચાણવાળા રસ્તાઓ પર જ્યાં પાણી ભરાતા હતા ત્યાં એક તરફનો રસ્તો ચાલુ રહેતો હતો. ઓણ પાલિકાના કુશળ વહીવટકર્તાઓની બુદ્ધિ ક્ષમતા ને કારણે રસ્તા પર ડિવાઈડર તોડી નાખતા બંને તરફ પાણી ભરાઈ જાય છે.
શહેરના ખોડિયાર નગર તરફથી ડી- માર્ટ થઈને સફેદ નૂર્મના મકાનો તરફ જવાના માર્ગ પર જળબંબાકાર ની સ્થિતિ ઉભી થઇ છે. જે માટે પાલિકાએ એક મહિના અગાઉ કરેલા ફેરફારો જ જવાબદાર છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે