VADODARA CITY
પાદરા: બાવાના બેઉ બગડ્યા, અપક્ષ ઉમેદવારને સમર્થન કરતા ભાજપના 48 હોદ્દેદારોને સસ્પેન્ડ કરાયા

ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારી નહીં આપી અસક્ષમ ઉમેદવારને આગળ કરતા પાદરામાં બળવો થયો હતો. પાદરાના પૂર્વ ધારાસભ્ય દીનુંમામાએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા અડધા ઉપરાંત ભાજપનું સંગઠન દિનુમામાં સાથે પ્રચારમાં જોડાતા આજે જીલ્લા ભાજપે ચૂંટાયેલા સભ્યો અને સંગઠનના હોદ્દેદારોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.
પાદરામાં સેના વિના યુદ્ધ લડવા નીકળેલા સેનાપતિ ચૈતન્યસિંહ ઝાલાની હાલત બાવાના બેઉ બગડ્યા જેવી થઈ છે. એક તરફ નગરની બહાર તેઓને સમર્થન મળતું નથી ત્યાં તો ભાજપના આંતરિક ડખામાં સંગઠન અને ચૂંટાયેલા સભ્યો પૂર્વ ધારાસભ્ય અને અપક્ષ ઉમેદવારી કરતા દિનુમામાંની તરફેણમાં પ્રચાર કરી રહ્યા છે.
આજે જીલ્લા ભાજપના કાર્યકારી અધ્યક્ષ બી.જે બ્રહ્મભટ્ટે પાદરા ભાજપના સંગઠનના હોદ્દેદારો અને નગર તેમજ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો સહિત 48 જેટલા અગ્રણીઓ ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનું ફરમાન કરવામાં આવ્યું છે.
પાદરામાં પહેલે થી જ ભાજપના ઉમેદવાર ચૈતન્યસિંહ ઝાલાને કાર્યકરો મળતા ન હતા. જ્યારે જીલ્લા ભાજપે સાસ્પેન્સન નો કોરડો વીંઝતા એ વાત પુરવાર થઇ ગઇ છે કે પાદરામાં ભાજપે ઉમેદવારની પસંદગીમાં ભૂલ કરી છે. 200 ઉપરાંત અપેક્ષિતના સેન્સ લીધા બાદ પણ પસંદગીના ઉમેદવાર નહીં આપતા કાર્યકરોમાં પણ અસંતોષ ઉભરીને આવ્યો છે.
જોકે 48 હોદ્દેદારોને સસ્પેન્ડ કરી ભાજપે પોતાના પગે જ કુલ્હાડી મારીને અપક્ષ ઉમેદવાર દીનુમામાની લોકપ્રિયતા સાબિત કરી છે.


VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે